મુક્તકો - રમેશ પારેખ

August 4, 2006

હોઇશ જો હું ફૂલ તો કરમાઇ જાવાનો
દીવો જો હું હોઇશ તો બુઝાઇ જાવાનો
સ્મૃતિ રૂપેય રહીશ તો સિક્કાની જેમ હું
અહીંયાથી ત્યાં પહોંચતા ખરચાઇ જાવાનો

ક્યાં છે વિશ્વાસના વહાણો તરી શકે એવું?
કયાં છે રણમાંય દરિયો ભરી શકે એવું?
મારી પાસે તો ફક્ત ક્ષણની પારદર્શકતા
ક્યાં છે આંખોમાં સ્વપ્ન થઇ ઠરી શકે એવું?

થોડી દુર્ધટના ભરી થોડી ક્ષણો ખાલી ગઇ
હું ગયો, ખૂશ્બૂઓ જ્યાં હાથ મારો ઝાલી ગઇ
ઊંઘ આવી નહીં, તો શું થયું? ના કૈં જ થયું
આંખની સપનાંઓ જોવાની ટેવ ચાલી ગઇ

મૌનથી વધુ કોઇ વાત જાય ના આગળ
સ્વપ્નથી કદી મુલાકાત જાય ના આગળ
ખંડના દીવાઓ તો ઠારીએ પ્રભાતે, પણ
પાંપણોમાં અટવાતી રાત જાય ના આગળ

Entry Filed under: મુક્તકો. .

4 Comments Add your own

  • 1. ઊર્મિસાગર  |  August 4, 2006 at 6:46 am

    ખૂબ જ સરસ…. મઝા આવી ગઇ.

    આભાર જયશ્રી!

  • 2. manvant  |  August 4, 2006 at 10:02 am

    મૌનથી વધી કોઇ વાત જાય ના આગળ !
    વિચાર ,ને અંત:સ્ફૂરણા ઉદાત્ત છે.

  • 3. Dhaval  |  August 4, 2006 at 2:52 pm

    ર.પા. એટલે ર.પા. એટલે ર.પા. !

  • 4. અમિત  |  August 4, 2006 at 9:28 pm

    ખંડના દીવાઓ તો ઠારીએ પ્રભાતે, પણ
    પાંપણોમાં અટવાતી રાત જાય ના આગળ

    ધવલભાઇ એ કહ્યુ એમ રમેશ પારેખ એટલે રમેશ પારેખ … ભાઇ ભાઇ !!!

Leave a Comment

Required

Required, hidden

Some HTML allowed:
<a href="" title=""> <abbr title=""> <acronym title=""> <b> <blockquote cite=""> <cite> <code> <del datetime=""> <em> <i> <q cite=""> <strike> <strong>

Trackback this post  |  Subscribe to the comments via RSS Feed


My Another Blog

Comments Please.....

Blog Stats

Recent Comments

bakul buch on Tahuko : ટહુકો ( …
dwaipal on વહેમવાળી જ…
vaibhav on મુક્તક - …
Kartikeya on Tahuko : ટહુકો ( …
DR. CHANDRAVADAN MIS… on Welcome

Recent Posts

Archives

Links

રચનાનો એકાદ ઘૂંટ પીવા મળે તો સોનામાં સુગંધ ભળે તે ભાવથી પ્રેરાઇને, જ્યાં જ્યાં શક્ય હોય ત્યાં ત્યાં સર્જકની એક-બે રચનાઓ ના શબ્દો અથવા સ્વરાંકન અથવા તેની લીન્ક આપવા પ્રયત્ન કર્યો છે. જો આમ કરતાં કોઇના કોપીરાઇટનો ભંગ થયેલો કોઇને લાગે અને મને જાણ કરવામાં આવશે, તો તેને સત્વરે અહીંથી દૂર કરીશ. પણ મને આશા અને શ્રદ્ધા છે કે, સૌ સર્જકો અને પ્રકાશકો, તેમ જ તેમના વારસદારો ગુજરાતી ભાષાના પનોતા સંતાનોને માટે વિશ્વ-ગુર્જરી સમાજમાં સભાનતા કેળવવાના આ નિસ્વાર્થ પ્રયત્નોને હૃદયપૂર્વક ટેકો આપશે અને બીરદાવશે.